હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવું
હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવું
અઝાદારીના ટીકાખોરો તેના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે :
૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી શોક મનાવવાના કોઈ પુરાવા મળતા નથી.
૨. રડવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ છે.
૩. અઝાદારી કરવાવાળાને જમાડવા બીદઅત છે અને તેનું ઇસ્લામમાં કોઈ સ્થાન નથી. આ સ્ત્રોતોનો વ્યય છે .
જવાબ
દરેક વાંધાઓનો જવાબ એકજ ઘટનામાં છે તે છે નબી (સ.અ..વ.) ના પિત્રાઈ ભાઈ હઝરત જાફરે તૈય્યાર (અ.સ.)ની શહાદત.
હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) નબી (સ.અ..વ.) ના પ્રથમ પિત્રાઈ ભાઈ હતા. તે મુતાહ નામની જંગના સેનાપતિ હતા અને તે જંગમાં તેઓ શહાદત પામ્યા હતા. જેવી પવિત્ર નબી (સ.અ..વ.) ને શહાદતની ખબર આપવામાં આવી કે તરતજ તેઓ જ.જાફરના પુત્રને મળવા પોહચી ગયા.
જયારે પવિત્ર નબી (સ.અ..વ.) જાફર (અ.સ.) ના ઘરમાં પ્રવેશ્યા, ત્યારે તેણે તેમના પુત્રને એક બાજુ બોલાવીને બોસો આપ્યો ત્યારે તેમની આંખ આંસુઓથી ભરાઈ ગઈ.
જયારે જાફર (અ.સ.) ના પત્ની (અસ્મા)એ આ જોયું તો તેણી સમજ્યા કે તેના પતિને સંબંધિત કંઇક વાત છે. ત્યારે તેણીએ પૂછ્યું : મારા માં-બાપ આપના પર કુરબાન થાય, જાફર (અ.સ.) અને તેના સાથીઓના કઈ સમાચાર છે?
આપ (સ.અ..વ.)એ કહ્યું : હા! આજે તે શહાદત પામ્યા છે.
અસ્મા મોટેથી રડવા લાગ્યા અને બીબીઓએ તેમને ઘેરી લીધા. હઝરત ફાતેમા (સ.અ.) ઘરમાં પ્રવેશ્યા અને રડતા રડતા બોલ્યા “અય મારા ચાચા”
નબી (સ.અ..વ.) એ કહ્યું : “શોક મનાવનારાઓને જાફર પર રડવું જોઈએ.”
વાકેદી ફરમાવે છે :
જાફર ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની શહાદત પછી જયારે નબી (સ.અ..વ.) તેમની દીકરી હઝરત ફાતેમા (સ.અ.) ના ઘરમાં પ્રવેશ્યા અને જોયું કે તેણી રડી રહ્યા છે “ અય મારા પ્યારા ચાચા”
પછી આપ (સ.અ..વ.) એ સુચના આપી : “જાફર (અ.સ.)ના કુટુંબ માટે જમવાનું તૈયાર કરવામા આવે અને તેમને જમાડવામાં આવે.”
શંકાખોરો માટે વિસ્તૃત જવાબ
હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદતથી નીચે મુજબના નિર્ણયાક મુદ્દાઓ ઉદભવે છે