અમીરુલ મોઅમેનીન અલી અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ

જ્યારે અમીરુલ મોઅમેનીન અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છેકે આપણેતબર્રા કરવાથી પરહેઝકરવું જોઈએ કારણ કે અમીરુલ મોઅમેનીન અ.સદુશ્મનોને મુસલમાનો નાં અમુક ફિરકાઓ માં ન આપે છે આ મુસલમાનો તબર્રા નાં કારણે નારાજ  થઇ જશે તેથી આ મુસલીમો ખાતર અને મુસલમાનો ની એકતા ની જરૂરત ને નજર સમક્ષ  રાખીને  આપનણે અમીરુલ મોઅમેનીન અ.સના દુશ્મનો થી તબર્રા કરવાથી દુર રહેવું જોઈએ આપણે કોઈને સન્માન આપવું જોઈએ કારણકે તેઓને તેમના માન્વાવાળાઓ માં આપે છે

જવાબ:

આ સુચન આપનાર હિમાયતીઓ ના માટે અમારો એક જ સવાલ છે

-આ મુસલમાનો જ્યારે તેમના દુશ્મનો અને વિરોધીઓની વાત આવે છે તો શું તેઓ તેમને માફ કરી દેવા કે ભૂલી જવા ઈચ્છે છે?

-શા માટે તેઓ પોતાના દુશ્મનોનો શિકાર કરે છે કૈદ કરે છે અને તેઓ ને મારી પણ નાખેછે

-શું તેઓ અમીરુલ મોઅમેનીન અ.સ થી વધીને છે કે જેમના દુશ્મનો થી મોહબ્બત કરવી જોઈએ જ્યારે કે તેમના ખુદનાં દુશ્મનો કત્લ થવા જોઈએ

આવો આપણે એક પ્રસંગ તરફ નજર કરીએ કે જેમાં ઈમામ બાકીર અ.સ શામિલ છે જે આપણને તબર્રાનાં મહત્વ ઉપર ભાર મુકે છે અને જે અમીરુલ મોઅમેનીન અ.સ નાં ચાહવાવાળાઓ પર વાજિબ હોવાનું દર્શાવે છે

તબર્રા વિષે ઈમામ બાકીર અ.સ:

‘………પછી ઈમામ બાકીર અ.સ એ તેને કહ્યું(અય અલ્લાહના બંદા) આ ઉમ્મતનો અલી ઇબ્ને અબીતાલિબ અ.સનો ઝુલ્મ કેટલો બધો વધારે છે.અને તેમના અ.સ પ્રત્યે ઇન્સાફ કેટલો ઓછો છે? તેઓએ અલી અ.સ ને તેમની ફઝીલતો થી વંચિત કર્યા (તેના બદ્લે)સહાબીઓને તે ફઝીલતો આપી દીધી જ્યારે કે અલી અ.સ તેઓ બધામા શ્રેષ્ઠ હતા તો પછી તેઓ કઈ રીતે અલી અ.સ ને તેમના તે સ્થાનથી દુર કરી શકે છે કે જે તેઓએ બિજાને અર્પણ કરી દીધું છે.

તેમને અ.સ ને પૂછવામાં આવ્યું અય ફર્ઝાંડે રસુલ સ.અ.વ તે કેવીરીતે?

ઈમામ બાકીર અ.સએ કહ્યું “તમે અબુબક્ર બિન અબુકહાફાનાં ચાહવાવાળાઓની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો ભલે પછી તે ગમેતે હોય

તેવીજરીતે તમેં ઉમર બિન ખત્તાબ ની વિલાયત ને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો પછી ભલે તે ગમે તે હોય

તેમજ તમે ઉસ્માન બિન અફ્ફાન ની વિલાયત ને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો પછી ભલે તે ગમે તે હોય ત્યાં સુધી કે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ સુધી પહોચે છે ત્યારે તેઓ કહે છે તમે તેની વિલાયતતો રાખો પણ તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા ન કરો (તમે એવો દાવો કરો છોકે ) અમે તેમને ચાહિએ છીએ અને તેમના માટે કઈ રીતે આ દાવો કરવો જાએઝ(યોગ્ય) છે જયારે કે રસુલે અક્રમ સ.અ.વ એ અલી અ.સ વિષે ફરમાવ્યું છે: અય અલ્લાહ તું તેની સાથે મોહબ્બત કર જે અલી અ.સ ને ચાહે અને તેને દુશ્મન બનાવ જે અલી અ.સ સાથે  દુશ્મની કરે અને તેની મદદ કર જે (અલી અ.સ)ની મદદ કરે અને તું તેમને ત્યજી દે જે અલી અ.સને ત્યજીદે (છોડી દે)

તો પછી શું તમે તેઓને જોયા કે તેઓ અલી અ.સ નાં દુશ્મનોને દુશ્મન નથી સમજતા ન તેઓ તેમને ત્યજી દે છે (જેઓએ અલી અ.સ ને છોડી દીધા)

આ ઇન્સાફ નથી

બીજો અન્યાય એ છે કે જ્યારે તે ફઝીલાતો કેજે અલ્લાહે અલી અ.સ માટે ખાસ કરી છે પયગંબર સ.અ.વ ની દુઆઓની સાથે અને અલ્લ્લ્હની પાસે તેમનું ઉચ્ચ સ્થાન નું વર્ણન થાય છે તો તેઓ તેનો ઇનકાર કરે છે પરંતુ જે કઈ પવિત્ર પયગંબર સ.અ.વ. નાં સહાબીઓ માટે વર્ણવવામાં આવે છે તેને તેઓ સ્વીકારી લે છે તે કઈ બાબત છે જેના કારણે તેઓ અલી અ.સ માટે તેનો ઇનકાર કરે છે અને પવિત્ર પયગંબર સ.અ.વ નાં બીજા સહાબીઓને તે સીફતો આપે છે?

  • તફ્સીરે ઈમામ હસન અસ્કરી અ.સ પા.૫૬૨
  • અલ એહ્તેજાઝ ભાગ-૨ પા.૩૩૦
  • બેહારુલ અન્વાર ભાગ ૨૧ પા ૨૩૫ તફ્સીરે અય્યાશી માંથી વર્ણન કરતા સુ.તૌબા આ.૧૧૮ ની નીચે

હદીસ અને બીજી ઘણી રીવાયાતો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મુસલમાનો માટે બીજો કોઈ રસ્તો નથી સિવાય કે તેઓ અમીરુલ મોઅમેનીન અ.સ નાં દુશ્મનો ની વિરુદ્ધ તબર્રા કરે ભલે પછી તે દુશ્મનો નું સ્થાન અને માન ગમે તેટલું હોય અગર આ દુશ્મનો અમુક સહાબા અને પત્નીઓમાં સમાવેશ થતો હોય કે જેઓનો મુસલમાનોના અમુક ફિરકાઓ આદર કરે છે તો પણ શું અલ્લાહે પવિત્ર કુરઆન માં નથી ફરમાવ્યું કે

اَلَا تُقَاتِلُوۡنَ قَوۡمًا نَّکَثُوۡۤا اَیۡمَانَہُمۡ وَ ہَمُّوۡا بِاِخۡرَاجِ الرَّسُوۡلِ وَ ہُمۡ بَدَءُوۡکُمۡ اَوَّلَ مَرَّۃٍ ؕ اَتَخۡشَوۡنَہُمۡ ۚ فَاللّٰہُ اَحَقُّ اَنۡ تَخۡشَوۡہُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ

قَاتِلُوۡہُمۡ یُعَذِّبۡہُمُ اللّٰہُ بِاَیۡدِیۡکُمۡ وَ یُخۡزِہِمۡ وَ یَنۡصُرۡکُمۡ عَلَیۡہِمۡ وَ یَشۡفِ صُدُوۡرَ قَوۡمٍ مُّؤۡمِنِیۡنَ

શું તમે તે લોકોથી નહિ લડો કે જેમણે પોતાની પ્રતિજ્ઞાઓ તોડી નાખી અને રસૂલને (તેના શહેરમાંથી) કાઢી મૂકવાનો નિશ્ચય કર્યો અને તમારા પર (હુમલો કરવાની) પહેલ કરી? શું તમે તેમનાથી ભય પામો છો? પણ અગર તમે મોઅમીન છો તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી જ ભય પામો તેમની સાથે (સારી પેઠે) લડો; અલ્લાહ તમારા હાથે તેમને અઝાબ આપશે અને તેમને ફજેત કરશે અને તેમની વિરૃધ્ધ તમને સહાય કરશે અને (તેમ કરીને) મોઅમીનોના કાળજા ઠંડા કરશે.     (સુ.તૌબા આ.૧૩ અને ૧૪)

અગર કોઈના સૌથી નજીકનાં સબંધીઓને પણ ન છોડવામાં આવ્યા તો પછી અલી ઇબ્ને અબી તાલિબ અ.સ નાં દુશ્મનોને માન આપવાનો સવાલ જ ક્યાછે અથવા તો અતિશયોક્તિ રૂપે તેમને ચાહવાનું કેહવામાં આવે છે ?

Be the first to comment

Leave a Reply