ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે.

વાંચવાનો સમય: < 1 મિનિટ

શંકાશીલ લોકો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેઓના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તક્ય્યાનું કોઈ સ્થાન નથી. તેઓ એમ સમજે છે કે ભય/એહતીયાતનું કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી.

જવાબ

આપણને સહાબીઓના તકય્યા પર અમલ કરવાના ઘણા ઉદાહરણો જોવા મળે છે, જેમાં એક અમ્માર બિન યાસિરથી સંબંધિત છે જે ઘણા પ્રમાણમાં નક્લ કરવામાં આવેલ છે.

આ કુરઆનની આયત વિષે:

مَن كَفَرَ بِاللّهِ مِن بَعْدِ إيمَانِهِ إِلاَّ مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالإِيمَانِ

જેઓ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇન્કાર કરે, સિવાય એવી હાલતમાં કે તેમના ઉપર બળજબરી કરવામાં આવી હોય

(સુ. નહલ (૧૬):૧૦૬)

ઘણા આલીમોએ તેમની તફસીરમાં એ વાત નોંધી છે કે આ આયત અમ્માર ઇબ્ને યાસીર માટે ઉતરી હતી, જેઓ પયગંબર (સ.અ.વ.)ના સૌથી ભરોસાપાત્ર સહાબીઓ પૈકી અને કેટલાક શરૂઆતમાં ઈમાન લાવનારો પૈકી હતા.

મક્કાના મુશ્રીકોએ  આવા ઈમાન લાવનારા લોકોને પકડ્યા અને અત્યાચાર કર્યો અને કેટલાકને ઇસ્લામ છોડી દેવા અને તેમના જુના દિન તરફ ફરી જવા દબાવ કર્યો. અન્ય લોકોકે   જેમણે ઇસ્લામ છોડી દેવા ઇન્કાર કર્યો તેઓને દિને ઇસ્લામ વિરુદ્ધ નિવેદનો આપવા માટે દબાણ કરવામાં આવ્યું, જે જુથે મુશ્રીકોની વાતનો ઇન્કાર કર્યો અને ઇસ્લામ પર મક્કમ રહ્યા તેમાં અમ્માર, તેમના પિતા યાસિર, તેમના માતા સુમય્યા, બીલાલ, સોહય્બ, હબ્બાબ અને અન્ય બીજા લોકો  હતા.

સોમય્યા પર એટલો અત્યાચાર કરવામાં આવ્યો કે તેમનું મૃત્યુ થયું અને યાસીરનું પણ. અમ્મારે તેમના માતા-પિતાને આ હાલતમાં પીડા ભોગવતા જોઈને અત્યાચાર કરનારાઓએ માંગણી કરેલ વાક્ય ઉચ્ચાર્યું.

આ તબક્કે અલ્લાહે સુરએ નહલ (૧૬) ૧૦૬ આયત નાઝિલ કરી:

જેઓ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇન્કાર કરે, સિવાય એવી હાલતમાં કે તેમના ઉપર બળજબરી કરવામાં આવી હોય.

સ્પષ્ટપણે, તકય્યા એટલે કે એહ્તીયાત/ભયના કારણે પોતાના ઈમાનને છુપાવવું, પર સહાબીઓ અમલ કરતા હતા અને તેને ઇલાહી તાઈદ હાસિલ થઇ, જે આ તબક્કે નાઝીલ થયેલ કુરાનની આયતોથી સ્પષ્ટ છે. તેથી, શિયાઓ પર તકય્યાની બીદઅતનો આરોપ મુકવો, ઇસ્લામી ઈતિહાસના  અને કુરઆની જ્ઞાનનાં અપૂરતા અભ્યાસને પ્રદર્શિત કરે છે.

Be the first to comment

Leave a Reply