શા માટે કુરૈશ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને હઝરત ફાતેમા (સ.અ.)ના દુશ્મનો હતા?

વાંચવાનો સમય: 8 મિનિટ

લોકોના દિલમાં દુશ્મની :

અબુ યાઅલા અને બાઝારે ભરોસાપાત્ર હદીસવેત્તા જેમકે હાકીમ ઝહબી ઈબ્ને હબ્બાને આ હદીસને સાચી ઠરાવી છે. તેનાથી વર્ણન કરે છે કે હઝરત અલી (અ.સ.) એ જણાવ્યું

بینا رسول اللّٰہ ﷺ آخذ بیدی ونحن نمشی فی بعض سکک المدینہ، اذ أتینا علیٰ حدیقۃ، فقلت:

یا رسول اللّٰہ !ماأحسنھا من حدیقۃ !

فقال: انّ لک فی الجنۃ أحسن منھا.

ثم مررنا بأُخری، فقلت :یا رسول اللّٰہ !ما احسنھا من حدیقۃ !

قال: انّ لک فی الجنۃ أحسن منھا.

حتیٰ مررنا بسبع حدائق، کل ذالک أقول ما احسنھا ویقول :

لک فی الجنۃ أحسن منھا، فلما خلا لی الطریق اعتنقنی،

ثم أجھش باکیاً.

قلت: یا رسول اللّٰہ !ما یبکیک؟

قال: ضغائن فی صدور أقوام لا یبدونھا لک الا من بعدی.

قال: قلت : یارسول اللّٰہ !فی سلامۃ من دینی؟

قال: فی سلامۃ من دینک

એક દિવસ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ મારો હાથ તેમના હાથમાં લીધો અને અમે બન્ને મદીનાની ગલીઓમાં ધીમે ધીમે ચાલવા લાગ્યા અને બગીચા પાસે પહોંચ્યા. મે કહ્યું અય અલ્લાહના રસુલ! આ કેટલો સુંદર બગીચો છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: અય અલી! જન્નતમાં તમારી પાસે આના કરતા પણ વધારે સુંદર બગીચો છે. ત્યારબાદ અમે બીજા બગીચા પાસે પહોંચ્યા. મે કહ્યું અય અલ્લાહના રસુલ! કેટલો સુંદર બગીચો છે. આમ જ અમે સાત બગીચાઓ પસાર કર્યા અને દરેક બગીચા પછી મે કહ્યું કેટલો સુંદર બગીચો છે અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જવાબ આપતા રહ્યા કે તમારી પાસે આનાથી પણ વધારે સુંદર બગીચો જન્નતમાં છે.

જ્યારે રસ્તો પસાર થઈ ગયો રસુલે ખુદા (સ.અ.વ.) એ મને ભેટીને (ગળે લગાડીને) રડવા લાગ્યા, મે પુછયું: અલ્લાહના રસુલ! તમને કઈ બાબત રડાવે છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ જણાવ્યું આ ઉમ્મત તમારા પ્રત્યે તેઓના દિલોમાં દુશ્મની (વેર) ધરાવે છે જે તેઓ મારા જવા પછી પ્રગટ કરશે.

મે પુછયું: અય અલ્લાહના રસુલ! શું હું એ સમયે મારા દિન ઉપર મક્કમ હોઈશ?

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: હા, તમે મક્કમ હશો.

આ હદીસને મજમ- અલ- ઝવાઈદમાં અબુ નોઅયમી1 અને મુસ્તદરકમાં બાઝાર2 વર્ણન કરનારની એ જ સનદની સાંકળ સાથે આ લખાણ નોંધ્યું છે તે જ અર્થથી હાકીમ અને ઝહબી3 બન્ને આ હદીસને સાચી માની છે. આના આધારે આ સ્વીકૃત હકીકત છે કે વર્ણન કરનારાઓની સાંકળ પ્રમાણે આ હદીસ સાચી છે. ગમે તેમ આ લખાણ મુસ્તદરકમાં સંક્ષિપ્તમાં છે.

જ્યારે તપાસ કરવામાં આવી તો દેખીતી રીતે આ હદીસના વર્ણન કરનારની સાંકળ એજ છે કે જે અબુ યાઅલા અને બાઝાર એ વર્ણવી હતી જે હાકીમ અને ઝહબી એ સાચી  ગણાવી છે.

તેમ છતાં બે સંદર્ભમાં ફર્ક માત્ર એટલો જ છે કે હાકીમે તેને અધુરી રીતે નોંધ કરી છે જેવી રીતે કે તેણે તેના લખાણને તમારી પાસે જન્નતમાં વધારે સુંદર બગીચો છે. ત્યાં પુરૂ કર્યું છે. એવીજ રીતે બીજી હદીસોમાં દેખીતી રીતે ઉમ્મતથી મુરાદ (સંબંધ) કુરૈશ છે. જેની ચર્ચા આગામી મુદ્દાઓમાં વિગતવાર કરી છે.

રસુલે ખુદા (સ.અ.વ.)ના પછી લોકોને ગુમરાહ કરવા કોણ જવાબદાર હતું?

બીજી હકીકત જે દેખીતી છે તે એ છે

یھلک امتی ھٰذا الحی من قریش

કુરૈશમાંથી અમૂક લોકો મારી ઉમ્મતને વિનાશ તરફ ધસડીને લઈ જાય છે. લોકોએ પુછયું એ વખતે અમારે શું કરવું જોઈએ? પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવ્યું:

لوان الناس اعتزلوھم

લોકો એ પોતાની જાતને (કુરૈશના દૃષ્ટ લોકોથી) દુર રાખવા જોઈએ.

બીજી હદીસમાં અબુ કુરૈશ કહે છે કે મે સીદ્દીક પયગમ્બર (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું છે કે

ھلاک امتی علیٰ یدی غلمۃ من قریش

મારી ઉમ્મતનું વિનાશ કુરૈશના એ લોકોના હાથે થશે જેને સત્તાની લાલસા કરી. લોકોએ પુછયું શું મરવાન તેમાંથી છે?

અબુ કુરૈશએ જણાવ્યું કે જો હું ચાહું તો હું દરેકના નામ આપી શકું છું અને હું તમને તેમના કબીલાની પણ જાણ કરી શકું છું.

આ બન્ને રિવાયતોને સહીહ માનવામાં આવે છે.4

કુરૈશ અને બની ઉમય્યાની દુશ્મની રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના વશં તરફ:

આગળ આપણે એ હદીસો નોંધી જેમાં રસુલે ખુદા (સ.અ.વ.)એ લોકોની બેવફાઈ અને વિશ્ર્વાસઘાતને ખુલ્લો પાડયો છે. હવે આપણે અમૂક રિવાયતો તરફ ધ્યાન આપીશું જે કુરૈશની દુશ્મની બાબતે બતાવે છે ખાસ કરીને બની ઉમય્યાના સંદર્ભમાં જાહેર છે કે આમાંથી અમૂક લોકોને રસુલે ખુદા (સ.અ.વ.)ના સમયથી જ દુશ્મની ધરાવતા હતા. કોઇપણ રીતે તેઓ રસુલેખુદા (સ.અ.વ)ની સાથે કોઈ પણ રીતથી પોતાનો મકસદ હાસિલ કરવ શકે તેમ ન હતા આથી તેઓએ આ દુશ્મની છુપાવી અને એહલેબેત (અ.મુ.સ.)ના વિરોધમાં ઉભા થયા મૌલા અલી (અ.સ.) ફરમાવે છે:

اللّٰھمّ انی أستعدیک علیٰ قریش، فانھم أضمروالرسولک ضروباً من الشر والغدر، فعجزوا عنھا، و حُلت بینھم و بینھا، فکانت الوجبۃ بی والدائرۃ علیّ.

اللّٰھمّ احفظ حسناً وحسیناً، ولا تمکّن فجرۃ قریش منھما ما دمت حیاً، فاذا توفّیتنی فانت الرقیب علیھم وانت علیٰ کل شيء شہید

અય અલ્લાહ હું તારાથી પનાહ ચાહું છું કુરૈશથી તે લોકોએ તેઓની નફરત અને રસુલે ખુદા (સ.અ.વ.) પ્રત્યેની દુશ્મનીને છુપાવી કારણકે તેઓ તેને જાહેર નહોતા કરી શકતા. અય અલ્લાહ તે તેમની હિફાઝત કરી તેઓથી હવે તે લોકો મને તેઓની નફરતનું નિશાન બનાવે છે.

અય અલ્લાહ તું હસન અને હુસૈનની હિફાઝત કરજે જ્યાં સુધી હું હયાત છું અને કુરૈશના પાપીઓ અને અત્યાચારીઓને તેમના પર કાબુ મેળવવા નહી દેતો અને જ્યારે હું આ દુનિયાથી જુદો થઈ જાવ ત્યારે તું તેમનો વાલી છે અને તું દરેક ચીઝ ઉપર ગવાહ છે અને નોંધવું જોઈએ કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) કુરૈશના દિલમાં જે દુશ્મની અને નફરત હતી તેવી રીતે વર્ણન કર્યું છે જ્યાં સુધી રસુલે ખુદા (સ.અ.વ.) જીવીત હતા અલ્લાહે સ્પષ્ટપણે તેઓની દુશ્મની દેખાડવા ન દીધી. એક વખત જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) આ દુન્યાથી રૂખસત થઇ ગયા પછી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને તેમની દુશ્મની સહન કરવી પડી. દેખીતી રીતે એ સ્પષ્ટ છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના નિવેદનથી કે કુરૈશ લોકો ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ને રસુલે ખુદાની નફરતનું નિશાન બનાવશે અને અંતમાં તેમને શહીદ કરી નાખશે. બીજા ખુત્બામાં હઝરત અલી (અ.સ.) ફરમાવે છે કે

وقال قائل انک یابن ابی طالب !علیٰ ھٰذا الامر لحریص. فقلت: بل انتم. واللہ. أحرص و أبعد، و أنا اخص و أقرب و انما طلبت حقاً لی و انتم تحولون بینی و بینہ، و تضربون وجھی دونہ، فلما قرّعتہ بالحجۃ فی الملأ الحاضرین ھبّ کانہ بہت لا یدری ما یجیبنی بہ.

એક શખ્સે મને કહ્યું કે અય અબુ તાલિબના ફરઝંદ તમને નેતૃત્વ (ઈમામ) માટેની લાલચ છે. 6

મે ફરમાવ્યું: અલ્લાહની કસમ! તમે લોકો નેતૃત્વ માટે વધારે લાલચી છો. જ્યારે કે તમને તેની સાથે કાંઈ જ લેવા દેવા નથી. જ્યારે કે બીજી બાજુ હું તેના માટે વધારે લાયક છું અને હું ફકત મારા હકની માંગણી કરૂ છું અને હું ફકત મારા હકની માંગણી કરૂ છું. જ્યારે કે તમે મારા રસ્તામાં અવરોધ બનો છો અને મારૂ નેતૃત્વ મેળવવા માટે રોકો છો. જ્યારે હું મજબુત દલીલ અને પુરાવાની સાથે લોકોની વચ્ચે ખાત્રી કરાવી ત્યારે તેને અહેસાસ થયો કે તે ખોટો હતો તે અવાક બની ગયો અને કાંઈ પ્રતિક્રિયા, જવાબ ન આપી શકયો.

અય અલ્લાહ હું તારી પાસે પનાહ ચાહું છું કુરૈશથી અને તેના મદદગારોથી તે લોકોએ મારી સાથેના સંબંધને કાપી નાખ્યા છે અને મારી હેસીયતને ઓછી કરી નાખી છે અને તે લોકોએ મારી સાથે દલીલો કરી છે એ બાબતે જે ફકત મારી માટે હતી ત્યાર પછી લોકોએ કહ્યું કે કયારેક તમારે તમારા હકને માંગવો જોઈએ અને કયારેક તેનો ત્યાગ કરી દેવો જોઈએ.

મૌલા અલી (અ.સ.) એ પોતાના ભાઈ અકીલને પત્ર લખ્યો

فدع عنک قریشاً و ترکاضھم فی الضلال، و تجوالھم فی الشقاق، وجما حھم فی التیہ، فانھم قد اجمعوا علیٰ حربی اجماعھم علیٰ حرب رسول اللہ ﷺ قبلی، فجزت قریشاً عنی الجوازی، فقد قطعوا رحمی وسلبونی سلطان ابن أُمّی

હવે કુરૈશ અને તેમના વિચલન અમને તેમની સાથે ઝઘડો કરવો અને તેમના જીદ્દીપણાનો ઉલ્લેખ છોડી દયો. કારણકે તે લોકોએ મારી સાથે લડવાનું નક્કી કરી લીધું છે જેવી રીતે રસુલે ખુદા (સ.અ.વ.) સાથે જંગ કરવાનું નક્કી કર્યું હતું અને અલ્લાહ જ કુરૈશને તેનો બદલો આપશે. મારી સાથે સંબંધ તોડી નાખવાનો અને મારાથી મારા ભાઈ (રસુલે ખુદા સ.અ.વ.) ની હુકુમત આંચકી લેવાની. 7 ઈબ્ને અદી પોતાની કિતાબ અલ કામીલમાં વર્ણન કરે છે એક વખત અબુ સુફીયાને કહ્યું કે રસુલે ખુદાનો દાખલો બની હાશીમમાં એક મીઠી ખુશ્બુવાળા ફુલ જેવો છે ખરાબ વાસની વચ્ચમાં8. કોઈકે રસુલે ખુદા (સ.અ.વ.)ને અબુ સુફિયાનના આ નિવેદનના બારામાં ખબર આપી જ્યારે રસુલે ખુદાએ આ વાત સાંભળી ત્યારે તેઓ ઉભા થઈ ગયા અને તેમના ચહેરા મુબારક પર ગુસ્સાના ચિન્હો આવી ગયા. આપે ફરમાવ્યું:

مابال اقوام تبلغنی عن اقوام …

તમારા લોકો તરફથી હું કેવી બેહુદા વાતો (અક્કલ વગરની) સાંભળું છું. 9  ઈબ્ને અદી અલ કામીલમા સ્પષ્ટ રીતે અબુ સુફિયાનનું નામ જણાવ્યું છે જ્યારે આ વાતની નોંધ કરવામાં આવી છે. બીજી કિતાબોમાં આ જ વાકય લખવામાં આવ્યું છે, પરંતુ અબુ સુફિયાનની બદલીમાં એક ગુમનામ વ્યકિત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દા.ત. મજમા અલ ઝવાઈદનું સંદર્ભ લ્યો.10  બીજી એક રિવાયત પ્રમાણે અબ્દુલ મુત્તલીબ ઈબ્ને રબી ઈબ્ને હારિસ ઈબ્ને અબ્દુલ મુત્તલિબ વર્ણન કરે છે કે અમૂક લોકો અન્સારમાંથી રસુલે ખુદા (સ.અ.વ.) પાસે આવ્યા અને કહ્યું કે અમે લોકો તમારા કબીલાના બારામાં લોકો પાસેથી બેહુદા વાતો સાંભળી છે એ હદ સુધી કે એક શખ્સે કહ્યું કે મોહમ્મદ એક ખજૂરના ઉગતા ઝાડ જેવો છે કચરાઓની વચ્ચમાં હોય.11  આ કથન / નિવેદનને અમૂક ફેરફારની સાથે નોંધ કરવામાં આવ્યો છે (સચ્ચાઈ છુપાવવા).

દુશ્મનીનું કારણ:

અગર આપણે ઈતિહાસકારો અને પરંપરાવાદીઓનો પૂર્વગ્રહ અને હઠધર્મીને હટાવી લઈએ તો એ સ્પષ્ટ થઈ જશે કે આ દુશ્મની અને બનાવટી ટીપ્પણીઓ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.)ના નિકટતાનું પરિણામ હતું. લોકો હઝરત અલી (અ.સ.)ને પડકારતા હતા જેથી કરીને તેઓ રસુલે ખુદા (સ.અ.વ.) પાસેથી ચોક્કસ વેર લઈ શકે. આ ઉપરાંત વિવિધ જંગોમાં જે હઝરત અલી (અ.સ.)એ કુરૈશના વરિષ્ઠ લોકોને મારી નાખ્યા હતા તે દુશ્મની માટેનું બીજું પાસુ હતું જેને નકારી ન શકાય. ખાસ કરીને જ્યારે કે તેઓ માને છે કે ઉસમાને પોતે આ વાતનો નિર્દેશ હઝરત અલી (અ.સ.)ને કર્યો હતો.

આબીએ તેની કિતાબ નસ્ર અલ દોરરમાં12  નોંધ છે કે ઈબ્ને અબ્બાસ વર્ણન કરે છે કે હ. અલી (અ.સ.) સાથેની એક ચર્ચામાં ઉસમાન કહે છે કે

ما اصنع ان کانت قریش لا تحبکم، و قد قتلتم منھم یوم بدر سبعین کانّ وجوھھم شنوف الذھب

હું શું કરૂ અગર કુરૈશ તમને નથી ચાહતા. બદ્રની જંગમાં તમે તેમના 70 સભ્યો (લોકો)ને મારી નાખ્યા હતા જે દરેક સોનાની જેમ ચમકતા હતા.

દેખીતી રીતે, તે લોકો તેઓના અપમાનનો રોષ (ગુસ્સો) રસુલે ખુદા (સ.અ.વ.)ની સામે વ્યકત નહોતા કરી શકતા. તેથી તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ની સામે આવ્યા (થયા) વેર માટે જેવી રીતે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ભવિષ્યવાણી કરી હતી.

આ ઘટનાઓની શૃંખલા હ. ફાતેમા (સ.અ.) અને હ. અલી (અ.સ.) તરફ ગઈ. ત્યારબાદ તે લોકોએ ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.મ.સ.)નો વિરોધ કર્યો અને એહલેબૈત (અ.મુ.સ.)નો વિરોધ અને આગળ વધતા તેમના ચાહવાવાળા સુધી જે આજની તારીખમાં સ્પષ્ટ છે.

હઝરત અલી (અ.સ.) અને હઝરત ફાતેમા (સ.અ.)ની સાથે દુશ્મની:

એ ઈતિહાસથી સ્પષ્ટ છે કે દરેક બનતા પ્રયાસ કરવામાં આવ્યા હતા. મઅસુમીન (અ.મુ.સ.)ની હદીસોના પ્રચાર પર પ્રતિબંધ મુકવા માટે બીજી તરફ સુન્ની હદીસવેત્તાઓ અને વર્ણન કરનારાઓ બનાવટી હદીસો અને નિવેદનો નિષ્કુર રીતે બનાવતા હતા. ખલીફાઓએ એ મહત્ત્વની હદીસો પર પ્રતિબંધ મુકી દીધો કે જે હદીસોના કારણે તેઓને તકલીફમાં મુકાવાની શક્યતા હતી જે કિતાબોમાં આવી વાતો હતી તે યા તો બાળી નાખવામાં આવી હતી અથવા તો નષ્ટ કરી નાખવામાં આવી હતી અથવા આવી પરિસ્થિતિ હેઠળ એ શકય નથી કોઈ જ. ફાતેમા (સ.અ.) પર જે ઝુલ્મ અને અન્યાયની ઘટનાઓ થઈ તેની ચોક્કસ અને સ્પષ્ટ રીતે બયાન કરવાની માંગણી કરે બલ્કે આપણે આ ઘટનાઓનું ટૂંકમાં વર્ણન કરી શકીએ એ હદીસવેત્તાઓ અને ઈતિહાસકારો થકી કે જે પોતાના કર્તવ્ય પ્રત્યે સચેત અને સભાન હતા તેઓએ તે ઘટનાઓની સચ્ચાઈને ઘણી મુશ્કેલી અને ઘણા મોટા ખતરા સાથે  બયાન કરી છે. અથવા આ ઘટનાઓને છુપાવીને પ્રસ્તુત કરવામાં આવી છે જેથી કરીને એ હુકુમત  કે જેને આ પ્રચારનો અંત લાવવો હતો તે સતર્ક ન થઈ જાય.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પહેલાથી એહલેબૈત (અ.મુ.સ.)ને સુચિત કરી દીધા હતા કે ઉમ્મત તેમનાથી વિશ્ર્વાસઘાત કરશે અને તેમનાથી બદલો લેશે.

કુરૈશ રસુલે ખુદા (સ.અ.વ.)થી બદલો લેવા માટે હઝરત ફાતેમા (સ.અ.) પર ઝુલ્મો કર્યા અને બદલો લેવાની કોશિશ કરી પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ પહેલેથી જ ઉલ્લેખ કર્યો હતો કે ફાતેમા (સ.અ.વ.) મારો એક ભાગ છે, તેથી કુરૈશે હઝરત ફાતેમા (સ.અ.વ.)ની વિરુદ્ધ જઈને પવિત્ર પયગંબર (સ.અ.વ.)નો તિરસ્કાર કરવાનો પ્રયાસ કર્યો.

હઝરત ફાતેમા (સ.અ.) ઉમ્મતમાં હાજર હતા રસુલે ખુદા (સ.અ.વ.)ના હિસ્સા હતા જેથી કરીને ઉમ્મતની સ્પષ્ટ ચકાસણી થઈ જાય અને જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પ્રત્યે દુશ્મનાવટ રાખતા હતા તેઓ હઝરત ફાતેમા (સ.અ.વ.)ની દુશ્મનાવટ દ્વારા ખુલ્લા પાડવામાં આવે. જનાબે ફાતેમા (સ.અ.)ના ઝરીયે આ ઈમ્તેહાન રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી બહુ જલ્દી આવી ગયું. એટલું જલ્દી કે હઝરત ફાતેમા (સ.અ.) પણ તેમના પિતાને મળવા પસાર થઈ ગયા જેવી રીતે ભવિષ્યવાણી કરી હતી.

આપણે બધી ઘટનાઓ અને કથનોની જીણામાં જીણી માહિતીનું સંકલન કરવાણી અપેક્ષા નથી રાખતા. તેમ છતાં આપણે 50% જેવી ઘટનાઓ અને કથનોનું સંકલન કરી શકીએ તો એ વ્યાજબી રીતે કહી શકાય કે આપણે બાકીની ઘટનાઓથી એક હદ સુધી સ્પષ્ટ તારણ પર આવી શકીએ છીએ.

આપણે આ કથનોની વિકૃતતાના સ્તરોને જોયા છે તે એ રીતે ખુલ્લા પાડવામાં આવ્યા છે કે અબુ સુફયાન કે જે ઈસ્લામનો સૌથી મોટો દુશ્મન છે તેનું રસુલે ખુદા (સ.અ.વ.)ના અપમાન કરવાના કથનને એક અનામ વ્યકિત તરીકે કરવામાં આવ્યું છે.

તેથી કરીને એ અપેક્ષા રાખવી અયોગ્ય  છે કે આપણે એ બધી ઘટનાની ખબર રાખીને નોંધ લઈએ જે રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી ઘટી જ્યારે કે ઘણી બધી ઘટનાઓ અને કથનો આવી પ્રતિષ્ઠિત અને વિસ્ફોટક ટીપ્પણીઓ અને વ્યકિતઓનો સમાવેશ છે.

તેમ છતાં અલ્લાહના તેના બંદા પરના ફઝલો કરમથી આવી પરિસ્થિતિ હોવા છતાં ખાતરી કરી છે કે અમૂક વફાદાર ઈતિહાસકારો અને વર્ણન કરનારાઓ હંમેશા ત્યાં હાજર હતા. આ ઘટનાઓ અને કથનોને આલેખ (લખવા) જેથી કરીને સચ્ચાઈ સામે આવી જાય. સાચી વાત જાણનાર માટે બધા યુગોમાં આપણો એ પ્રયાસ રહ્યો છે દર સમયે સુન્નીની નામાંકિત કિતાબોમાંથી તેનું વર્ણન કરીએ આપણે આ બાબતમાં શીઆ સંદર્ભોની મદદ નથી લીધી.

સુન્ની સંદર્ભોથી પણ અમે એ કાળજી રાખી છે કે જુની નોંધો જે નોંધવામાં આવી છે તે અને તેના પછીની સદીઓમાં સંકલન કરવામાં આવી હતી તેનામાં વિરોધાભાસ ન હોય.

1 મજમા અલ ઝવાઈદ ભાગ-9, પાના 118

2 મુસ્તદરક ભાગ-3, પાના 139

3 મીઝાન અલ એઅતેદાલ ભાગ-3, પાના 355

4 મુસ્નદે અહેમદ ભાગ-2, પાના 288, 301, 324, 328

5 શરહે નહજુલ બલાગાહ ભાગ-20, પાના 298

6 નહજુલ બલાગાહ ભાગ-2, પાના 84 ફેઝ અલ ઈસ્લામની નહજુલ બલાગાહ ખુત્બા નં. 171

7 શર્હે નહજુલ બલાગાહ ભાગ-16, પાના 151

8 અમે ઘણી સાવચેતી રાખી છે સુન્ની સ્ત્રોતમાંથી મહત્વના વાકયનું અનુવાદ કરવામાં

9 અલ કામીલ ફી અલ ઝોફાઈ ભાગ-3, પાના નં 28

10 મજમા અલ ઝવાઈ ભાગ-8, પાના નં 215

11 મજમા અલ ઝવાઈ ભાગ-8, પાના નં 215

12 આ બુક પ્રકાશિત થઈ ચુકી છે અને હવે બજારમાં ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે નહજુલ બલાગાહની સંદર્ભ લો, ભાગ-9, પાના નં 23

Be the first to comment

Leave a Reply