![iblis](https://najat.org/wp-content/uploads/2021/10/iblis.jpg)
વિરોધીઓ ખિલાફત બાબતે શીઆઓ સાથે ખુબ જ વિવાદ કર્યા કરે છે અને દાવો કરે છે કે ખલીફાઓ તે હોદ્દાને સૌથી વધુ લાયક હતા જે તેઓએ હકીકતમાં છીનવી લીધેલ હતા. તદઉપરાંત તેઓ બધી જ દલીલો અને સંદર્ભોને નજરઅંદાજ કરે છે.
અહિં ખિલાફત ઉપર એક રસપ્રદ વાર્તાલાપ છે અને સાબીત કરવામાં આવ્યું છે કે કેવી રીતે કહેવાતા વિદ્વાન ખલીફાઓ કરતા વધારે ઈબ્લીસ ખિલાફતને લાયક થઇ શકે.
અબુલ હસન અલી બીન મયસમ (મયસમે તમ્મારના વંશમાંથી હતા)એ અબુ હુઝૈલ અલ્લાફ (મોઅતઝેલાનો પ્રખ્યાત આલીમ)ને સવાલ કર્યો: શું એ સાચુ છે કે ઈબ્લીસ દરેકને નેકી કરવાથી અટકાવે છે અને બુરાઈ કરવા માટે હુકમ કરે છે?
અબુ હુઝૈલ: હા, બેશક એવુ જ છે.
અલી બિન મયસમ: અય અબુ હુઝૈલ! શું ઈબ્લીસ દરેક નેકીઓથી વાકેફ છે અને તેને અંજામ આપવાથી રોકે છે અને દરેક બુરાઈથી વાકેફ છે અને તેને અંજામ આપવા માટે હુકમ કરે છે?
અબુ હુઝૈલ: હા, તે તેનાથી વાકેફ છે.
અલી બિન મયસમ: શું તમે જેને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી ઈમામ (અબુ બક્ર) માનો છો તે તમામ નેકીઓ અને બુરાઈથી વાકેફ છે?
અબુ હુઝૈલ: નહિ.
અલી બિન મયસમ: તો પછી ઈબ્લીસ તે વ્યક્તિ કરતા વધારે ઈલ્મ ધરાવે છે કે જેને તમે ઈમામ માનો છો.
અબુ હુઝૈલ સ્તબ્ધ થઈ ગયો અને કંઈ પણ બોલી શકયો નહિ, કારણ કે એક વ્યક્તિ કે જેની પાસે વધુ ઈલ્મ હોય છે તે વ્યક્તિ વધુ માનવંત હોય છે તેના કરતા કે જેની પાસે ઓછુ ઈલ્મ હોય છે. તેવી જ રીતે ઈબ્લીસ અબુબક્રની સરખામણીમાં વધુ ચડીયાતો અને માનવંત થઇ શકે.
- અલ ફુસુલુલ મુખ્તારાહ, પા. 23, અલ એહતેજાજ, ભાગ-2, પા. 150 ની ફૂટનોટ
Be the first to comment