
એક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સાથે હતાં.
ફ્ઝ્ઝાલે પોતાના દોસ્તને કહ્યું ખુદાની કસમ હું અબુ હનીફાને ઈલ્મથી શરમીન્દા કર્યા વગર છોડીશ નહી. ફ્ઝ્ઝાલના દોસ્તે ફ્ઝ્ઝાલને કહ્યું : તમે અબુ હનીફાની તર્ક અને દલીલ કરવાની શક્તિથી આગાહ (જાણકાર) છો. ફ્ઝ્ઝાલે કહ્યું: ચુપ થઇ જાવ. શું તમે જોયું છે કે કયારેય કોઇ ગુમરાહ વ્યક્તિની દલીલ મોઅમીનની દલીલ ઉપર ગાલીબ આવી જાય?
ફ્ઝ્ઝાલે આગળ વધીને સલામ કરી તો ત્યાં હાજર રહેલા દરેક લોકોએ સલામનો જવાબ આપ્યો.
ફ્ઝ્ઝાલે અબુ હનીફાને સામે જઇને કહ્યું: તમારા ઉપર ખુદાની રહેમત થાય ! મારો એક ભાઇ છે જે કહે છે કે રસુલે ખુદા(સ.અ.વ.)ની પછી બેહતરીન મખ્લુક(સર્જન) અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) છે પરંતુ હું તમને કહું છું કે આ સાચું નથી. પરંતુ રસુલે ખુદા (સ.અ.વ.) પછી બેહતરીન મખ્લુક (સર્જન) અબુ બક્ર અને તેના બાદ ઉમર છે. આપનો આ બારામાં શું અભીપ્રાય છે?
અબુ હનીફાએ થોડાવાર વિચાર કર્યા પછી માથું ઉંચુ કર્યુ અને કહ્યું : (તેમને કહો) અબુ બક્ર અને ઉમરની ઇઝજત અને દરજજા (મન્ઝેલત) માટે એટલું જ પુરતું છે કે તેમને બન્નેને રસુલ (સ.અ.વ.)ની બાજુમાં દફન કરવામાં આવ્યા છે. (જો કે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) ઘણાં દુર નજફમાં દફન છે) શું આ બન્નેની અલી(અ.સ.) ઉપર ફઝીલત માટે આનાથી વધુ સારો કોઇ પુરાવો હોઇ શકે ?
ફ્ઝ્ઝાલે કહ્યું: મે તેને બરાબર આ જ વાત કહી હતી, પણ તેણે મને જવાબ આપ્યો : ખુદાની કસમ અગર તમે તે બન્નેને અલ્લાહના રસુલ સાથે દફનાવવા માટે હકદાર અને અફ્ઝલ છે તો મને કહો જો તેમને આવી જગ્યાએ દફનાવવામાં આવે કે જયાં તેમનો કોઇ અઘિકાર નથી. તો ફઝીલત કેવી રીતે હોઇ શકે ? તે બન્નેએ તો ખુદાના રસુલ ઉપર ઝુલ્મ કર્યો છે કારણ કે જો તે જગ્યા અબુબક્ર અને ઉમરની હતી (જો કે તેમની ન હતી) અને અગર તેઓએ તેને ખુદાના રસુલને ભેટ તરીકે આપી હતી તો હવે તેઓ હદીયા તરીકે આપેલી જગ્યામાં દફનાવવું એ ખુબ જ ખરાબ કામ છે કારણ કે તેઓએ આ કામ કરીને અલ્લાહના રસુલ (સ.અ.વ)ને આપેલો હદીયો પરત લઇ લીધી અને તેને પોતાના ઉપયોગ અને પોતાના ઇખ્તીયારમાં લઇ લીધી અને આ કામ એક રીતે વાયદા ખીલાફી અને વાયદાને તોડવામાં શુમાર થાય છે.
થોડી વાર ચુપ રહી પછી અબુ હનીફાએ કહ્યું: તમારા ભાઇને કહો વાસ્તવમાં તે ઝમીન ન તો આ બન્નેની હતી અને ન તો રસુલે ખુદા(સ.અ.વ.)ની હતી. પરંતુ તે ઝમીન આયશા અને હફસાના હક્કનો વારસો હતો. એટલા માટે તે બધાને દફન કરવામાં આવ્યા છે.
ફ્ઝ્ઝાલે અબુ હનીફાને કહ્યું : મે ઇત્તેફાકથી મારા ભાઇને પણ આજ વાત કહી હતી પરંતુ તેણે ફરીને મને જવાબ આપ્યો :
શું તમે જાણો છો કે જયારે રસુલ (સ.અ.વ) દુનીયાથી ગયા તો તેમની નવ પત્નીઓ હતી. તેથી આ જમીનમાં દરેક પત્નીનો હીસ્સો ૧/૮ હશે. તેથી દરેક પત્નીનો હિસ્સામા ખુબજ ઓછી જમીન હતી તો પછી આ બન્નેએ પોતાના હક્કકોમાં વધારાની જમીન કેવી રીતે હડપ કરી (ગસ્બ કરી લીધી) ?
આ સિવાય બીજુ શું કારણ છે કે પયગમ્બર (સ.અ.વ.)ની દીકરી જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ને પોતાના પીતાનો વારસો નો મળે !? પરંતુ પયગમ્બર (સ.અ.વ.)ની પત્નીઆ હોવા છતાં આયશા અને હફસાને તેમની પાસેથી વારસો મળે!!!
અબુ હનીફાએ જયારે આ સાંભળ્યું તો તેણે તેના શાર્ગીદો(સ્ટુડન્ટ)ને કહ્યું તેને મારાથી દુર કરો કારણ કે આ રાફેઝી ખબીસ છે.
(અલ – ફૂસુલુલ મુખ્તારહ, સૈયદ મુર્તુઝા પેજ- ૭૪,કન્ઝુલ ફવાએદ, અબુલ ફતુંહ કરાજકી પેજ- ૧૩૫,એહતેજાજે તબરસી ભાગ-૨ પેજ -૧૪૯ )
Be the first to comment