મૃત પર રોવા પર ઉમર વિરૂધ્ધ આયેશા

વાંચવાનો સમય: < 1 મિનિટ

મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર ઈસ્લામના કહેવાતા માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે.

આ મુસલમાનો રોવા વિશે શીઆની માન્યતાનો વિરોધ કરે છે. તો આવો આપણે તેઓની માનીતી શખ્સીયતો ઉમર અને આયેશાના મંતવ્યો આ વિષય પર જોઈએ.

સઈદ બિન મુસય્યબથી વર્ણન છે કે આયેશા તેના પિતાની વફાત પર રડી હતી. જ્યારે આ ખબર ઉમરને પહોંચ્યા તેણે તેની મનાઈ કરી પરંતુ આયેશાએ ખલીફાના હુકમને રદ કર્યો. પછી હિશામ બિન વહીદને હુકમ દેવામાં આવ્યો કે તે આયેશા પાસે જાય અને જોરથી રડવાથી રોકે. હિશામના હુકમથી સ્ત્રીઓ ચુપ થઈ અને ઘરેથી ચાલ્યા ગયા ત્યારે ઉમરે તેઓને સંબોધીને કહ્યું: ‘શું તમે એવું ઈચ્છો છો કે અબુબક્ર પર તમારા રડવાથી અઝાબ થાય? બેશક મૃત પર રડવાથી તેના પર અઝાબ થાય છે.

(સહીહ તિરમીઝી, હદીસ નં. ૧૦૦૨)

ઉપરના બનાવ પરથી તે તારણ નિકળે છે કે:

અગર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ખરેખર મૃત પર રડવાની મનાઈ કરી હતી (જેમકે ઉમરે કહ્યું) તો પછી આયેશાએ પયગમ્બર (સ.અ.વ.) ના હુકમનો અનાદાર કર્યો.

તે દલીલ પણ થઈ શકે કે તેણી લાગણીના આવેશના લીધે રડવા લાગી પરંતુ જ્યારે ઉમરે રડવાની મનાઈ કરી તો તેણી મુસલમાનોના ખલીફાના હુકમનો વિરોધ કર્યો. આયેશાનું આ કાર્યથી તેણીએ:

(અ) પયગમ્બર (સ.અ.વ.) ની હદીસનું અનુસરણ ન કર્યું.

(બ) તેણી પોતાની લાગણીના આવેશમાં આવી ગઈ.

(ક) ખલીફાના હુકમનો અનાદર કર્યો.

છતાં બુખારીએ ઘણી બધી હદીસો પોતાની સહીહમાં તેણીની નકલ કરી છે. તેથી મુસલમાનો માટે જરૂરી છે કે

  1. આયેશાને માનનીય ન જાણવી જોઈએ કારણકે તેણીએ પયગમ્બર (સ.અ.વ.) અને કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
  2. સહીહ બુખારીને તરછોડવું જોઈએ કારણકે બુખારી એ ઘણી બધી હદીસો આયેશાથી નકલ કરી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*