ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?

વાંચવાનો સમય: 6 મિનિટ

કેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ  નામ પણ અલગ અલગ છે.

આ પૂશ્નના જવાબમાં અમે અમારૂ  સિઢ્ઘાંત પેશ કરશૂ કે અમે અમારા તમામ દીની બાબતોમાં રસુલ (સ.અ.વ.)નુ અનુસરણ કરિએ છે.

અમારી નમાઝ ના બાબતે, તે કેવી રીતે પઢવી, એના સમય, કેવી રીતે વઝુ કરવુ અને નમાઞના લગતે બીજી તમામ તૈયારીયૌં અને  શરીયતનાં બીજા નિયમો(અહકામ) અમે પવિત્ર કુરાન,રસુલ (સ.અ.વ.)  અને અહલેબૈત (અ.મૂ.સ.)થી મેળવ્યુ છે

જોકે તમામ મુસ્લિમ સંપ્રદાયોનો દાવો છે કે તેઓ કુરાન અને સુન્નાહનુ અનુસરણ કરે છે , પરંતુ પર્યાપ્ત પુરાવાઓ વગર માત્ર દાવા કોઇ હકીકત સાબિત નથી કરતી. સંપૂર્ણ વિશ્વાસ અને પર્યાપ્ત સાબિતી સાથે, અમે કહી શકે છે કે જે સુન્નાહ, અમે પાલન કરિએ છે તે વાસ્તવિક, મૂળ અને શુદ્ધ પ્રમાણભૂત વ્યક્તિ એટલે અહલેબૈત(અ.મુ.સ.) છે જે રસુલ (સ.અ.વ.) સાથે રહેતા હતા અને તેમના કથનો અને તેમના કાર્યો એ વિશે બધું જાણતા હતા.

પવિત્ર કુરાનના અર્થઘટન અને સમજણ અહાદિસ પર આધાર રાખે છે.માત્ર પ્રમાણભૂત અહાદિસ આ અંગે ગણી શકાય. સ્પષ્ટરૂપે, અમે અહલેબૈતથી મેળવેલ પૂર્ણ વાસ્તવિક અને શુદ્ધ સુન્નાહને અનુસરીએ છીએ અને જે માત્ર કુરાન અને રસુલ (સ.અ.વ.)ને અનુસરણ કરવાનો રસ્તો છે,

નમાઝ કેવી રીતે પઢવી?

પોતાના ઇમાન,ઇબાદત,આમાલ,અને નૈતિક જવાબદારી,ને લાગતા તમામ વિગતોમા,એક સાચા મુસલમાનને રસુલ (સ.અ.વ.)ને અનુસરવું જોઈએ. પરંતુ નમાઝનુ ખાસ મહત્વ છે, કારણ કે ધર્મનો આધારસ્તંભ છે, રસુલ (સ.અ.વ.)એ ભરપૂર ભાર મુક્યો છે અને બધા મુસ્લિમોને આદેશ આપ્યો કે જેવી રીતે તે નમાઝ પઢે છે તેવી રીતે તેઓ પઢે. આ બાબતે નીચેની સ્થિતિઓ જન્મી શકે છે:

  1. એ બધી વસ્તુઓ ફરજિયાત બની જે રસૂલ(સ.અ.વ.)નિયમિત કરતા હતા દા.ત.દરેક નમાઝની પ્રથમ બે રકાતમાં સુરહ અલહમ્દની તિલાવત. કોઈમુસલમાન ઇરાદાપૂર્વક આ વાજીબાત છોડી શકતો નથી.
  2. એવીજ રીતે કોઇ પણ કાર્ય, જે રસૂલ(સ.અ.વ.)દ્વારા કરવામાં ન આવ્યૂ તે હરામ છે દા.ત. ઝોહર-અસ્ર નમાઝ અને મગરિબ-ઇશા નમાઝ  મળીને પઢવૂ હરામ હોતે અગર રસૂલએ આવી રીતે ક્યારેય પઢયૂ ના હોતે.
  3. તેવીજ રીતે ,અગર રસૂલ(સઅવ) અમૂક કાયૅ કેટલીકવાર કર્યા હતા ,તો એનો અર્થ એ છે કે તે વસ્તુની પરવાનગી છે અને તે જાએઝ છે દા.ત. મસ્જિદમા અથવા ઘરમાં નમાઝ પઢવું, પ્રથમ બે રકતમાં અલહમ્દ પછી લાંબા અથવા ટૂંકા સુરહ પઢવું, ઝોહર-અસ્ર નમાઝ અથવા મગરિબ-ઇશા નમાઝ રસૂલ(સ.અ.વ.) ઘણી વખત,ફકત સ્વેચ્છાએ અને હેતુપૂર્વક, અનિયમીતપરિસ્થિતિ જેમકે વરસાદ,મુસાફરી અથવા યુદ્ધ અથવા હજ વગેરે વિના ,આ નમાઝ મેળવીને (ભેગી) પઢતા હતા.

અમે એ દાવો ક્યારેય નથી કરતા કે રસુલ (સ.અ.વ) હંમેશાઆ નમાઝ મેળવીને પઢતા , નહીંતર, તે નમાઝો  મેળવીને પઢવુ ફરજિયાત કરવામાં આવ્યુ હોત.પરંતુ તેમણે અનેક વખત અને કોઈપણ અસાધારણ સંજોગો વિના તે નમાઝ મેળવીને પઢી ,તો એનો અર્થ એ છે કે તે જાએઝ છે .એ તે પણ દર્શાવે છે કે આમ કરવૂ સુન્નતે રસૂલ (સ.અ.વ.)છે. વધુમાં, અમે નથી માનતા કે આ નમાઝોને હમેશા મેળવીને પઢવૂ ફરજિયાત છે કારણ કે રસુલ (સ.અ.વ) ક્યારેક આ નમાઝો અલગ અલગ પઢી હતી.
અમોને આશ્ચર્ય થાય છે  કેવી રીતે કેટલાક મુસ્લિમો એ દાવો કરે છે કે આ નમાઝોને મેળવીને પઢવૂ હરામ છે જયારે પ્રમાણભૂત સાબિતી છે કે જે રસૂલ(સ.અ.વ) પોતે આવી રીતે પઢતા હતા. કેમકે રસૂલ(સ.અ.વ) પોતે આવી રીતે કરતા હતાં, તેથી તે સ્પષ્ટ દર્શાવે છે કે તે સુન્નત છે, તેમનો અમલ છે. અમે ખરેખર રસૂલ(સ.અ.વ)ના પગલે ચાલીએ છીએ અને તેમની સુન્નત પર અમલ કરિએ છીએ, કારણ કે અમે તેને ફરજિયાત માનીએ છીએ અને શરીયતના તમામ અન્ય બાબતો અંગે પણ તેમને  અનુસરણ કરિએ છીએ.

આ અંગે કેટલાક અમારા મુસલમાન ભાઈઓ દ્વારા ઉઠાવવામાં આવતો મુખ્ય વાંધો એ નમાઝના સમયની બાબત છે. તેથી અમે તે વિશે કુરાનની રોશનીમાં એની ચર્ચા કરશુ.

કુરાને કરીમમાં નમાઝના સમય

અમે પવિત્ર કુરાન નુ હવાલો આપશુ અને નમાઝનાં સમય જોઇશુ  જે સવૅશક્તિમાન અલ્લાહ એ મુસલમાનો માટે બતાવ્યુ,જે કહે છેઃ

નમાઝ કાયમ કરો સૂયૅના ઢળવાથી લઈને રાત ના અંધકાર સૂધી અને ફજ્રની નમાઝ પણ ,ફજ્રની નમાઝ ચોક્કસ સાક્ષી છે

આ આયતમાં,અલ્લાહ સ્પષ્ટ રીતે નીચે પ્રમાણે નમાઝના સમય આપે છે:

  1. સૂર્ય ઢળવું: ઝોહર અને અસ્ર નમાઝની શરૂઆતનો સમય.
  2. રાતના અંધકાર: મગરિબ અને ઈશા નમાઝની શરૂઆતનો સમય.

એ નોંધવું જોઇએ કે મગરિબ નમાઝ અને ઇફતારના સમય શિયા જે અહલેબૈત મારફતે વાસ્તવિક ઇસ્લામના અનુયાયી છે અને અન્ય મુસલમાનો જેઓ મુખ્યત્વે તેમના ચાર ઇમામો, અબુ હનીફા,શાફઈ,માલિક અથવા અહમદ ઇબ્ન હન્બલનુ અનુસરણ કરે છે એવોમાં તફાવત છે.

શિયાઓ માને છે કે મગરિબ સમય પશ્ચિમમાં આકાશની લાલાશ અદૃશ્ય થઈ જાય પછી શરૂ થાય છે, જે સૂર્ય અદ્રશ્ય થતા સૂર્યપ્રકાશના પ્રતિબિંબમાં છે . આ સાબિત કરે છે કે મગરિબ નમાઝનુ સમય રાત્રની શરુઆત છે,કે જે ચોક્કસ એજ સમય છે જે શિયાઓ  દ્વારા ગણવામાં આવે છે.

  1. સવારનુ પઠન: ફજ્ર ની નમાઝનુ સમય. અહાદિસ મુજબ, સવારનુ પઠન ચોકકસ સાક્ષી છે કારણ કે તેના બન્ને રાતૅ અને દિવસ ના ફરિશતા સાક્ષી છે.

તેથી આ આયત (૧૭:૭૮) ના અનુસાર તે તદ્દન સ્પષ્ટ છે કે નમાઝ માટે મુખ્ય ત્રણ સમય છે.

  1. ઝોહર અને અસ્ર
  2. મગરિબ અને ઈશા
  3. ફજ્ર.

અલ્લાહ કહે છે: ” અને નમાઝ કાયમ કરો દિવસના બંને છેડે અને થોડી રાત પસાર થયા બાદ,હકીકતમાં નેકીઓ બુરાઈઓને દૂર કરી દે છે,આ એક યાદી છે એ લોકો માટે જે અલ્લાહને યાદ રાખનારા છે.”

( સુરહ હૂદ આયત ૧૧૪)

આ આયત માં, નમાઝનુ સમય ફરીથી સ્પષ્ટ જણવામા આવ્યુ છે, કે ત્રણ મુખ્ય સમય,જે નીચે પ્રમાણે છે:-

  1. પ્રથમ અને દ્વિતીય: આ દિવસનાં ભાગો, જે સવારે, કે જે દિવસનાં શરૂનુ ભાગ છે અને બપોર, જે દિવસના અન્ય ભાગ છે, એટલે જ્યારે ઝોહર અને અસ્રની નમાઝનો સમય શરૂ થાય છે .

તૃતીય: રાત્રની શરૂઆતમાં, જે મગરિબ અને ઈશાની નમાઝનો સમય છે.

તે પછી ખૂબ સ્પષ્ટ છે કે પવિત્ર કુરાનમા નમાઝનુ સમય, પાંચ નમાઝ માટે ત્રણ મુખ્ય સમય છે.

પહેલું: બપોર થી સૂર્યાસ્ત પહેલાં સુધી  : ઝોહરની નમાઝ માટે એ બાદ અસ્રની નમાઝનો સમય.

બીજો: વાસ્તવિક સૂર્યાસ્તથી જ્યારેરાત ની  શરૂઆત થાય છે તે મગરિબ અને ઈશાની નમાઝનો સમય.

તૃતીય: ફજ્રની નમાઝ

રસુલ (સ.અ.વ.) ની નમાઝનો સમયઃ

બધા મુસલમાનો ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝના સમયને મેળવાના નિયમને માને છે, પરંતુ ગૈર શિયા દાવો કરે છે કે આ સંયુક્ત કરવાની પરવાનગી અમુક ચોક્કસ સંજોગોમાં જેમ કે વરસાદી વાતાવરણ, મુસાફરી, ખાસ જ્યારે (અરાફાત)ની યાત્રા અથવા માંદગી માં, અથવા યુદ્ધ માં છે , જ્યારે શિયા મજબૂત હવાલો આપે  છે કે રસુલ (સઅવ)  આ સૂચિત થયેલ બંધનો વિના આ નમાઝને મેળવતા. અહાદિસની મહત્વપૂણ કિતાબો જેમકે અલ-કાફી, અલ-ફકીહ, અલ-ઈસ્તિબ્સાર, અને અલ-તહઝીબમાં રસુલે ખુદા(સ.અ.વ.) અને તેમના અહલેબૈત(અ.સ) થી અસંખ્ય હદીસો મળે છે કે તેઓ (સ.અ.વ.) સામાન્ય અને સ્વાભાવિક દિવસોમાં પણ ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ મેળવીને પઢતા હતા. પરંતુ અમે આ પુસ્તકોનો હવાલો નહી આપશુ કારણકે તેઓ શિયા પુસ્તકો છે અને અમને ગૈર શિયા મુસ્લિમો માટે હકીકત સાબિત કરવી છે. તેના બદલે, અમે તેને તેઓની કિતાબ થકી સાબિત કરશુ જેને તેઓ પવિત્ર કુરાન પછી શરિયતનુ મૂળ તરીકે માને છે.

પહેલી હદીસઃ-સહીહ મુસ્લિમમાં જે સુન્નીઓ દ્વારા સહીહ બુખારી સહીત કુરાન પછી સૌથી પ્રમાણભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે, એમા “બન્ને નમાઝો ને મેળવવા” ના બાબમાં

ઈબ્ને અબ્બાસ કહે છે,” રસુલ (સ.અ.વ.)એ મદીનામા કાઇપણ ભય કે યાત્રા વિના ઝોહર-અસ્ર નમાઝ મેળવીને પડી” ઈબ્ને અબ્બાસને પુછવામા આવ્યુ , રસુલ (સ.અ.વ.) એ આમ શા માટે કયૅુ તેને જવાબ આપ્યો “તેઓ પોતાની ઉમ્મતમાંથી કોઇને પણ મુશ્કિલમાં મુકવા ન્હોતા માંગતા.”

બીજી હદીસ: સહીહ બુખારીમાં જે અહલે તસન્નુમ માં સહુથી ઉચ્ચ સ્તરની કિતાબ છે -તેના ઝોહરની નમાઝ અસ્ર સુઘી વિલંબિત કરવાનાં પૃકરણમાં, નમાઝના સમયના ભાગમાં. ઇબ્ને અબ્બાસ જણાવે છે કે રસુલ (સ.અ.વ.)એ મદીનામાં સાત રકાત અને આઠ રકાત પઢી (અર્થ મગરિબ અને ઈશા સાત અને ઝોહર અને અસ્ર આઠ)

ત્રીજી હદીસઃ-સહીહ બુખારીમાં ઈબ્ને અબ્બાસથી મળે છે કે રસુલ (સ.અ.વ.)એ કોઈ પણ ભય કે યાત્રા વિના ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ મેળવીને પઢા” ઈબ્ને અબ્બાસ ને પુછવામા આવ્યુ શા માટે ,તેને જવાબ આપ્યુ “રસુલ (સઅવ) પોતાની ઉમ્મતને મુશ્કિલમાં મુકવા ન્હોતા માંગતા.”

ચોથી હદીસઃ – અલ-તબરાની અબ્દુલ્લાહ ઇબ્ને મસુદથી જણાવે છે કે રસુલ (સઅવ)એ ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ મેળવીને પડી અને જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેઓ શા માટે સાથે મેળવીને પઢી, આપ(સઅવ)એ ઉલટાવીને કહ્યું-મે આમ કયૅુ જેથી મારી ઉમ્મતને મુશ્કેલી ન થાય.આ હદીસ અલ-ઝરગાનીની શરહ અલ મવત્તાનાં વોલ્યુમ ૧,પેજ ૨૬૩ માં ઉલ્લેખ થઈ છે.

પાંચમી હદીસ: – અબ્દુલ્લા ઇબ્ન ઉમરને પુછવાંમા આવ્યું: રસુલ (સઅવ)  ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા કોઈણ ભય કે યાત્રા વિના મેળવીને શા માટે પઢતા? અબ્દુલ્લા ઇબ્ન ઉમર જવાબ આપ્યો: – તેમણે આમ કર્યું જેથી તેમના ઉમ્મતને મુશ્કેલી ન થાય.આ હદીસ વિખ્યાત પુસ્તક કન્ઝુલ ઉમ્માલના, વોલ્યુમ ૪,પેજ ૨૪૨ માં ઉલ્લેખ થઈ છે.

છઠ્ઠી હદીસ: – સહીહ મુસ્લિમમાં છે કે ઇબ્ન અબ્બાસ કહ્યું: – અમે બે નમાઝો રસુલ (સઅવ) ના સમયમાં એક સાથે પઢતા હતા.

તે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ તેની સહીહમાં સંપૂણૅ પ્રકરણ “મુસાફરી વિના બે નમાઝ ભેગી કરવા” આવેલું  છે  જેમાં તેમણે દસ કરતા પણ વધારે પ્રમાણભૂત હદીસો પુરવાર કરી છે કે રસુલ (સઅવ)  કોઇપણ નિયંત્રણો વગર સાથે મેળવીને નમાઝ પઢતા હતા .

બે નમાઝોને સંયોજિત કરવાના કારણ હદીસોમાં સ્પષ્ટ ઉલ્લેખ થયૂ છે; એટલે કે, મુલમાનોને  મુશ્કેલીમાં ના મૂકવૂ,કારણ કે ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ અલગ કરવી ક્યારેક કષ્ટડાયક અને મુશ્કેલીઓ નુ કારણ બને છે, ખાસ કરીને કામ કરતા અને વ્યસ્ત લોકો માટે. આ મુશ્કેલી નમાઝ છોડવાનુ કારણ બની શકે, જેમ કે આપણે જોઈએ છે કે ઘણા જે સરળતાથી અલગ અલગ પાંચ વખત નમાઝ નથી પઢી શકતા કારણ કે તેમના માટે તે કરી શકાય એવૂ  નથી, તેઓ સરળતાથી તેમની નમાઝ છોડી દે છે.

બે નમાઝોના સંયોજન કરવામાં કેટલાક મહત્વપૂણૅ લાભ  એ અલ્લાહ તઆલા તરફથી  સુવિધા અને બક્ષિશ અને મોમિનો માટે ભેટ છે, કારણ કે તે જાણે છે કે આ વ્યાવહારિક માર્ગ છે ઘણા વ્યક્તિઓ માટે અને વિવિધ સંજોગોમાં . કોઇએ ને પણ અધિકાર નથી આ રહેમતના દ્વાર ને બંધ કરવાની, જે અલ્લાહ દ્વારા ખોલવામાં આવી હતી અને રસુલ (સઅવ) પોતે એનાપર અનેક વખત અમલ કરી ઉપરોક્ત લાભ ઉપરાંત અન્ય ફાયદાઓ પણ છે. એક માણસ ઇમામ હસન અલ અસ્કરી (અસ) સામે ફરિયાદ કરી કે તે પૈસાદાર હતો અને ગરીબ બની ગયો. ઇમામ (અસ) તેને તાકીદ કરી, “બે નમાઝોને મેળવ; પછી તૂ એ જોશે જે તને ગમે છે.”

સારાંશ

પવિત્ર કુરાન અને  પ્રમાણભૂત હદીસોમાંથી મલળેલા આ તમામ પુરાવાથી આ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા મળીને પઢવૂ વાસ્તવિક સુન્નત અને રસુલ (સઅવ) ની રીત છે. જે આ હકીકતનુ ઇનકાર કરે છે તેઓ વાસ્તવિકતામાં હકીકી સુન્નાહનુ  ઇનકાર  અને  રસુલ (સઅવ) દ્વારા કરવામાં આવતા અમલ સામે વાંધો ઉઠાવે છે .વાસ્તવિક ઇસ્લામનુ પાલન કરનાંરા,જે શિયા કહેવાય છે,એઓ રસુલ (સઅવ)નુ શબ્દો અને અમલમાં અનુસરણ કરે છે.

સૌજન્ય: હુજ્જતુલ ઇસ્લામ આગા સૈયદ મોહમ્મદ અલ-મૂસવી

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*